મંડલવા ગામે આદિવાસી સંસ્કૃતિ મુજબ દેવોની પેઢી બદલાશે.
ગ્રામજનો ઢોલ માંદલ સાથે ઝોઝ ગામ થી દેવોના ઘોડા લઈ મંડલવા પહોંચ્યા

આદિવાસી વસ્તી ધરાવતાં છોટા ઉદેપુર જિલ્લા માં આદિવાસી સમાજના ગ્રામજનો પોતાની આગવી સંસ્કૃતિ અને રીત રિવાજ મુજબ દરેક ગ્રામજનો પોતાના ગામ દેવોની પેઢી બદલતા હોય છે. ગ્રામજનો દ્વારા વિધિ વિધાનથી પોતાની આગવી સંસ્કૃતિ મુજબ ગામ દેવની પેઢી બદલે છે. આજ રીતે ચાલીસ વર્ષ બાદ છોટા ઉદેપુર તાલુકાના મંડલવા ગામે આવેલા ગામ દેવોની પેઢી બદલવાનો નિર્ણય બે માસ પૂર્વે ગામના આગેવાનો અને સરપંચ દ્વારા લેવામાં આવ્યો હતો અને તમામ ગ્રામજનો આદિવાસી સમાજના રીત રિવાજ મુજબ ભારે ઉત્સાહ થી જોડાઈ ગયા હતા. દેવો ના ઘોડા ઝોઝ ખાતે ઘડાવી આજરોજ તમામ ગ્રામજનો પરિવાર સહિત ઢોલ માંદલ સાથે નજીકના ઝોઝ ગામે દેવો ના ઘોડા લેવા પહોંચ્યા હતા . રીત મુજબ દેવો ના ઘોડાં ઘડવાનો ઓર્ડર જે કુંભાર ને આપ્યો હોય, એ કુંભાર ના ઘરે થી દેવોનાં ઘોડાં સ્વીકારતી વખતે બળવો ધુંણતો ધુંણતો પ્રત્યેક ઘોડાં ને તપાસે છે, એ બાદ જ ઘોડાં ને ગામ લોકો સ્વીકારે છે. ત્યાર બાદ ગામ લઈ જઈ દેવોના ઘોડા ની હસ્તાંતરણની પ્રક્રિયા હાથ ધરવામાં આવે છે. મંડલવા ગામે આ રૂડો અવસરે લાખોના ખર્ચે ગામના લોકો ઇન્દની ઉજવણી સાથે દેવોની પેઢી ધામધૂમ થી બદલવામાં આવશે.ઇન્દ ની ઉજવણી સાથે તા ૯ જાન્યુઆરી ૨૦૨૫ ના રોજ નાચગાન સાથે કાર્યક્રમ સમાપ્ત થશે .