છોટા ઉદેપુર

*આયુષ્યમાન આરોગ્ય મંદિર નાનીરાસલીના કોમ્યુનિટી હેલ્થ ઓફિસર ગેરહાજર રહેતા સેવા સમાપ્ત *

અધિકારી અને કર્મચારીઓની કોઈપણ લાપરવાહી કે બેદરકારી ચલાવી લેવામાં આવશે નહીં.-જિલ્લા કલેકટર ગાર્ગી જૈન

આયુષ્યમાન આરોગ્ય મંદિર નાનીરાસલીના કોમ્યુનિટી હેલ્થ ઓફિસર ગેરહાજર રહેતા સેવા સમાપ્ત 

 

અધિકારી અને કર્મચારીઓની કોઈપણ લાપરવાહી કે બેદરકારી ચલાવી લેવામાં આવશે નહીં.-જિલ્લા કલેકટર ગાર્ગી જૈન

 

 છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર તાલુકાના નાની રાસલી ખાતે આવેલ આયુષ્યમાન આરોગ્ય મંદિરની આકસ્મિક મુલાકાત જિલ્લા કલેકટર ગાર્ગી જૈનને લીધી હતી.

      આ આકસ્મિક મુલાકાત દરમિયાન આયુષ્યમાન આરોગ્ય મંદિરના કોમ્યુનિટી હેલ્થ ઓફિસર દ્રષ્ટિ પ્રજાપતિ ગેરહાજર જણાય હતા. આ ગંભીર બેદરકારીની નોધ લેતા કલેકટર એ જણાવ્યું હતું કે છોટાઉદેપુરમાં અધિકારી અને કર્મચારીઓની કોઈપણ લાપરવાહી કે બેદરકારી ચલાવી લેવામાં આવશે નહીં. તેમની સામે તાત્કાલિક કડક પગલાં લેવામાં આવશે. 

તેઓની ગંભીર બેદરકારીની સામે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી એ તાત્કાલિક કાર્યવાહી કરી 11 મહિનાની કરાર આધારિત સેવાઓ સમાપ્ત કરી હતી.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!