છોટા ઉદેપુર

*” ભારતીય સેના ” ના પરાક્રમ ઓપરેશન સિંદુર ને બિરાદાવવા છોટા ઉદેપુર નગર માં તિરંગા બાઇક યાત્રા યોજાઈ. *

ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા, પૂર્વ સાંસદ નારણભાઈ રાઠવા, જિલ્લા પંચાયત પ્રમુખ મલકાબેન પટેલ, નગર પાલિકા પ્રમુખ મંજુલાબેન કોલી સહિત મોટી સંખ્યામાં નગરજનો જોડાયા

” ભારતીય સેના ” ના પરાક્રમ ઓપરેશન સિંદુર ને બિરાદાવવા છોટા ઉદેપુર નગર માં તિરંગા બાઇક યાત્રા યોજાઈ.

ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા, પૂર્વ સાંસદ નારણભાઈ રાઠવા, જિલ્લા પંચાયત પ્રમુખ મલકાબેન પટેલ, નગર પાલિકા પ્રમુખ મંજુલાબેન કોલી સહિત મોટી સંખ્યામાં નગરજનો જોડાયા

પહેલગામ ના આતંકવાદી હુમલા પછી સરકાર દ્વારા ઓપરેશન સિંદુર દ્વારા ભારતીય સેના એ અપ્રતિમ શૌર્ય બતાવી પાકિસ્તાન ના અનેક સંવેદન શીલ આતંકવાદી અડ્ડાઓ અને સૈન્ય મથકો ને સંપૂર્ણ ચોકસાઈ સાથે પીન પોઇન્ટ હુમલો કરી સફાયો કરતા દેશ ની પ્રજામાં ભારે ઉત્સાહ છવાયો છે. ભારતીય સેના ના આ પગલાંને વધાવી લેવા અને દેશવાસીઓના મનોબળને મક્કમ બનાવવા ના આશય થી આજરોજ છોટા ઉદેપુર નગર માં તિરંગા રેલી નું ભવ્ય આયોજન કરાયું હતું. આ તિરંગા બાઇક રેલી સાંસદ જશુભાઇ રાઠવા ના નિવાસ્થાન વસેડી ખાતે થી ડીજે ઉપર દેશભક્તિના સૂરો સાથે હાથમાં તિરંગા સાથે નીકળી હતી. અને છોટા ઉદેપુર નગર ના મુખ્ય માર્ગો ઉપર થઈ જિલ્લા ભાજપ કાર્યાલય શાસ્ત્રીનગર ખાતે પૂર્ણ કરવામાં આવી હતી. તિરંગા રેલી માં ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા, પૂર્વ રાજ્ય સભા સાંસદ નારણભાઈ રાઠવા, જિલ્લા પંચાયત પ્રમુખ મલકાબેન પટેલ, તાલુકા પંચાયત પ્રમુખ કલ્પનાબેન રાઠવા, નગર પાલિકા પ્રમુખ મંજુલાબેન કોલી, એપીએમસી ચેરમેન મુકેશભાઈ પટેલ અને નગરના પદાધિકારીઓ સહિત મોટી સંખ્યામાં નગરજનો જોડાઈ દેશભક્તિ ના રંગે રંગાયા હતા.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!