ગોધરા
ગોધરા તાલુકાના બોડીદ્રા ગામે એક મકાન બળીજતા શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના પૂજનીય સંતો મદદે
જ્યાં જ્યાં કુદરતી આફતથાય ત્યાં અસર ગ્રસ્તની મદદ કરવા સંતો પહોંચી જાય છે

ગોધરા,
તારીખ:- ૧૦-૪-૨૦૨૫ ના રોજ બોડીદ્રાના વતની હિંમતસિંહ અંદરસિંહ પટેલ નું મકાન બળીને ખાખ થઈ જતા તેના સમાચાર પૂજનીય સંતોને મળ્યા જેથી તારીખ ૧૬-૪-૨૦૨૫ ના રોજ પંચમહાલ જિલ્લાના મહંત સંત શિરોમણી શ્રી યોગપ્રિય દાસજી સ્વામી અને સંત શિરોમણી શ્રી નિર્દોષ સ્વરૂપ દાસજી સ્વામી તથા મુક્તજીવન ડીજાસ્ટર મેનેજમેન્ટના મનજીત વિશ્વકર્મા સાહેબ પંચમહાલ જિલ્લાના વડિલ હરીભક્તો સરદારભાઈ, સાલમસિંહ, કિરણસિંહ, રણજીતસિંહ અને ગામના ગ્રામજનોની હાજરીમાં અસર ગ્રસ્તને દાળ – ચોખા, તેલ ,કાપળ ,ઘરવખરી, સીધા સામનની સાથે વાસણ તેમજ રોકડા પાચ હજાર રૂપિયા અને ૨૦,૦૦૦ હજાર જેટલી મદદ શ્રી સ્વામિનારાયણ મંદિર મણિનગર ના પૂજનીય સંતો તરફથી કરવામાં આવી…
આવી રીતે જ્યાં જ્યાં કુદરતી આફતથાય ત્યાં અસર ગ્રસ્તની મદદ કરવા પૂજનીય સંતો પહોંચી જાય છે…