વડોદરા

વડોદરા હરણી બોટ કાંડ ને આજે 1 વર્ષ પૂર્ણ

સામાજીક કાર્યકર દ્વારા શ્રદ્ધાંજલિ

એક વર્ષ પહેલા આજની તારીખે હરણી બોટકાંડ દુર્ઘટના સર્જાઈ હતી જે બોટમાં વધુ સંખ્યા ભરી હોવાથી પલ્ટી મારી ગઈ હતી જેમાં અનેક બાળકો ડૂબ્યા હતા પરંતુ બાર બાળકો અને બે શિક્ષકોના મૃત્યુ પામ્યા હતા અને અને આની જવાબદારી મુખ્યત્વે લેક ઝોનના સંચાલકોની બને છે બીજી બાજુ શાળા સંચાલકો દ્વારા પણ આ બાળકોને લેકઝોન માં લાવ્યા ત્યારે કોઈપણ પ્રકારની સેફટી સાધનો છે કે નહીં તેની તપાસ કરી નહીં અને બાળકોને બોટમાં મોકલી દીધા જેથી શાળા સંચાલકોની પણ જવાબદારી બને છે જ્યારે વડોદરા મહાનગરપાલિકા દ્વારા પણ આ લેક ઝોન તળાવ ભાડે આપ્યું ત્યારે અને ત્યારબાદ આ લેકઝોનના તમામ સાધનોની તપાસ જવાબદાર અધિકારીઓ દ્વારા કરવામાં આવી નહીં જેથી વડોદરા મહાનગરપાલિકા પણ બાર બાળકો અને બે શિક્ષકોના મૃત્યુ માટે જવાબદાર છે છેલ્લા એક વર્ષથી ન્યાય માટે બાર બાળકો અને બે શિક્ષકોના પરિવાર રજળપાટ કરી રહ્યા છે અને એક વર્ષ પૂરું થતું હોય પ્રથમ વાર્ષિક પુણ્યતિથિએ સામાજિક કાર્યકર અતુલ ગામેચી કમલેશ પરમાર દ્વારા 14 બાળકોને ભોજન કરાવી શ્રદ્ધાંજલિ આપવામાં આવી સાથે બાર બાળકો અને બે શિક્ષકોને ન્યાય મળે તેના માટે પણ પ્રાર્થના કરવામાં આવી

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!